24 May 2020
લોકડાઉન હોમવર્ક ધો.:- 3થી 9/છઠ્ઠું અઠવાડિયું | Lockdown Homework Week 6
World Water Day/વિશ્વ જળ દિવસ વિશેષ માહિતી:- 22 March-2020
દર વર્ષે ૨૨ માર્ચ ના દિવસે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. ર૦, માર્ચ, ૧૯૯૨ ના દિવસે બ્રાઝીલના રીયો ડી જાનેરો શહેરમાં ‘‘અર્થ સમિટ'' યોજાયેલ જેમાં સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યોના રાષ્ટ્ર પ્રમુખ હાજર રહેલ હતાં. સમિટના છેલ્લા દિવસે એટલે કે ૨૨ માર્ચ ના રોજ પાણી સંબંધિત ઘોષણાપત્ર જાહેર થયેલ.
આથી, આ દિવસ ને ‘‘વિશ્વ જળ દિવસ'' તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. આજની વધતી જનસંખ્યા, ઔદ્યોગિકરણ, અને શહેરીકરણ ને લીધે પીવાના શુદ્વ તથા સુરક્ષિત પાણીની ઉલ્બધતામાં ભારે ઘટાડો થઇ રહયો છે. આ સમસ્યાનો આભાસ ૬૦ વર્ષ પહેલાંજ પ્રખ્યાત વૈજ્ઞાનિક અલ્બર્ટ આઇન્સ્ટાઇનને થઇ ગયો હતો. આથી જ તેઓએ ભવિષ્યવાણી કરી હતી કે ત્રીજા વિશ્વ યુદ્વની તો ખબર નથી પરંતુ, ચોથું વિશ્વ યુદ્વ ચોક્કસપણે પાણી માટે જ લડાશે.
આજના આંકડા મુજબ વિશ્વમાં ૧.૫ અબજ નાગરિકોને પીવાનું શુદ્વ પાણી નથી મળતું. વધતી જતું પ્રદુષણના લીધે ભુગર્ભ જળ પ્રદુષિત થઇ રહયું છે. અને પાણી જન્ય રોગોનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. ભારત પણ આ સમસ્યાથી બાકાત નથી. આપણા દેશના ભુગર્ભ જળમાં ફ્લોરાઇડ, નાઇટ્રેટ, આર્સેનીક, લેડ, જેવા ઝેરી તત્વોનું પ્રમાણ વધતું જાય છે. જેના લીધે ભારતના અમુક રાજયોમાં અલગ અલગ રીતની બિમારીઓ વધતી જાય છે. તેમ રાજ્યના માહિતી વિભાગની યાદી જણાવે છે.
પાણીના કેટલાક તારણો
( ૧) દિલ્લી, મુંબઈ, ચેન્નઈ જેવા મોટા શહેરોમાં નળ અને વાલ્વમાં લીકેજ ના લીધે ૧૭% થી ૪૪% પાણી ગટર માં વ્યર્થ જાય છે.
( ર) ભારતના કેટલાક રાજયોની મહિલાઓ પીવાના પાણી માટે રોજના સરેરાસ ૪ થી ૬ કિમી પગપાળા જાય છે.
( ૩) જો બ્રશ કરતા સમય નળ ખુલ્લો રહી જાયે તો પાંચ મિનીટમાં આશરે ૨૫ થી ૩૦ લીટર પાણીનું વ્યય થાય છે.
( ૪) નહાવા માટેના ટબ નો ઉપયોગ કરતા ૩૦૦ થી ૫૦૦ લીટર પાણીનો વ્યય થાય છે જયારે સામાન્ય રીતે નહાવાથી ૧૦૦ થી ૧૫૦ લીટર પાણીનો ખર્ચ થાય છે.
( પ) વિશ્વમાં ૧૦ વ્યક્તિઓમાં થી ૨ વ્યક્તિઓને પીવા માટેનું શુદ્ધ પાણી મળતું નથી.
( ૬) વિશ્વમાં દર વર્ષે ૩ અબજ લીટર પાણીનું પ્લાસ્ટિકની બોટલમાં વેચાણ થાય છે. અને આ પ્લાસ્ટિકના ખાલી બોટલો નદિયો, જમીન અને તળાવો ને પ્રદુષિત કરે છે.
( ૭) મનુષ્ય ને પ્રતિદિન ૩ લીટર અને પશુઓને ૫૦ લીટર પાણીની જરૂરિયાત હોય છે.
( ૮) પૃથ્વી ગ્રહ પર ૭૦% થી વધુ ભાગ પાણીનો છે. જેમાં ૧ અબજ ૪૦ ઘન કિલોલીટર પાણી છે. પરંતુ પાણીની આ વિશાળ પ્રમાણમાં પીવાલાયક પાણીનું પ્રમાણ ખુબજ ઓછું છે. જેમાં ૯૭.૩% પાણી
દરિયાનું પાણી સિમુદ્રીં છે જે ખારું હોય છે. ફક્ત ૨.૭% પાણી પીવાલાયક છે જેમાંનો ૭૫.૨% ભાગ ધ્રુવીય છેત્ર અને ૨૨.૬% ભૂગર્ભ જલના સ્વરૂપમાં છે. અને બાકીનું ભાગ ઝીલ, નદીઓ, કુવો, વાયુમંડળ બાષ્પ રૂપે જોવા મળે છે. જેમાં ઉપયોગમાં આવતો ભાગ ખુબ જ ઓછો છે. જે નદી, ઝીલ તથા ભૂગર્ભ જળના સ્વરૂપમાં જોવા મળે છે. આ પાણીનો ૬૦મો ભાગ ખેતી અને ઉદ્યોગોના કારખાનામાં વપરાય છે. બાકીનો ૪૦મો ભાગ મનુષ્યના વપરાશમાં ખર્ચ થાય છે. દુનિયામાં હાજર રહેલ કુલ પીવાલાયક પાણીમાં માત્ર ૧% પાણી પયોગ માટે સરળતાથી પ્રાપ્ત થાય છે.
1 લી મે ગુજરાત સ્થાપના દિવસની વિશેષ માહિતી
1 મે, 1960ના દિવસને ગુજરાતના સ્થાપનાદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બૃહદમુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં હતાં.
વર્ષ 1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી ભાષી લોકોને અલગ ગુજરાતની આશા બંધાઈ. એ આશાનું પરિણામ આવ્યું પહેલી મે, 1960ના દિવસે, જ્યારે બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં. 'મહાગુજરાત આંદોલન' એ આઝાદી બાદ ગુજરાતી પ્રજાનું સૌથી મોટું આંદોલન હતું.
હડતાળો, વિદ્યાર્થીદેખાવો, જંગી સરઘસો, પોલીસનો ગોળીબાર, વિદ્યાર્થીઓનાં મૃત્યુ અને ગુજરાતી ભાષી વિસ્તારોમાં ફેલાયેલી અરાજકતાનો અંત ત્યારે આવ્યો જ્યારે ગુજરાતની સ્થાપના થઈ. 1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતાં ગુજરાતી લોકોને પણ આશા બંધાઈ કે ભાષાવાર ગુજરાત અલગ રાજ્ય બનશે. રાજ્ય પુનર્રચના પંચે 1955માં ભારત સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો.
6 ઑગસ્ટ, 1956ના દિવસે દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા કરાઈ હતી. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતાં પ્રજાને આંચકો લાગ્યો. આથી 7 ઑગસ્ટ, 1956ના રોજ કેટલાક વિદ્યાર્થીઓ કૉંગ્રેસના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળ્યા. મળવા ગયેલા વિદ્યાર્થીઓને ઠાકોરભાઈ તરફથી સંતોષકારક જવાબ ન મળતાં હડતાળનું એલાન આપ્યું. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાંથી જંગી સરઘસ નીકળ્યું અને 'લે કે રહેંગે મહાગુજરાત'નો નારો બુલંદ બન્યો.
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદમાં ભદ્ર ખાતે કૉંગ્રેસ ભવનની બહાર વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા. પોલીસે અંધાધૂંધ ગોળીબાર કર્યો અને એમાં પાંચ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં. આ ઘટનાએ ગુજરાતમાં અરાજકતા ફેલાવી દીધી.અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં દેખાવો અને તોફાનો થયાં
મહાગુજરાત આંદોલનની ચળવળમાં કુલ 24 યુવાનો શહીદ થયા. 9 સપ્ટેમ્બર, 1956ના રોજ અમદાવાદના ખાડિયામાં એક સભા મળી અને ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ નીમાયા. ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ લેતા કાર્યકરોમાં નવી ચેતના જાગી. 2 ઑક્ટોબર, 1956નો દિવસ મહાગુજરાત આંદોલનના જુસ્સાના પ્રતીક સમાન હતો. પંડિત જવાહરલાલ નહેરુની સમાંતર ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં અમદાવાદની લૉ કૉલેજમાં પણ સભા યોજાઈ. ઇન્દુલાલની સભામાં અંદાજે 3 લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે નહેરુની સભામાં પાંખી હાજરી હતી. ઇન્દુલાલ યાજ્ઞિકની સક્રિય ભૂમિકાએ આંદોલનને નવી દિશા આપી ને ઇન્દુલાલ યાજ્ઞિક 'ઇન્દુચાચા' તરીકે ઓખળાયા.
આંદોલન દરમિયાન 1957માં ચૂંટણી આવી ને મહાગુજરાત જનતા પરિષદે પણ ઝંપલાવ્યું. ઇન્દુલાલ યાજ્ઞિક સહિત 5 ઉમેદવારો લોકસભામાં ચૂંટાયાં. સમગ્ર ગુજરાતમાં ગામેગામ, નગરોમાં આંદોલન વેગવંતુ બનતું રહ્યું. 6 ડિસેમ્બર, 1959ના રોજ દિલ્હીમાં વિભાજનના પ્રશ્નના નિકાલ માટે કૉંગ્રેસ હાઇકમાન્ડની સમિતિ મળી. બેઠકના બીજા જ દિવસે મુંબઈ રાજ્યના વિભાજન માટેની દરખાસ્તને મંજૂરી આપી દેવાઈ.
આખરે મુંબઈ સાથેનું મહારાષ્ટ્ર અને ડાંગ સાથેનું ગુજરાત અલગ પડ્યાં. મૂકસેવક રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમમાં નવા રાજ્યનું ઉદઘાટન થયું. પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ અને મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતાએ કાર્યભાર સંભાળ્યો. આંદોલનકારીઓ અને ગુજરાત માટે પહેલી મે, 1960ના દિવસે જાણે કે સોનાનો સૂરજ ઊગ્યો.
ગુજરાત રાજ્યનુ વિભાજન ઈસ 1960 1લી મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતનુ વિભાજન કરવામાં આવ્યુ હતુ. આ રાજ્યનુ વિભાજન બે ભાષાઓના આધારે કરવામાં આવ્યુ હતુ. ગુજરાતી બોલતા પ્રદેશોને ગુજરાતમાં અને મરાઠી બોલતા પ્રદેશોને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોનુ અસ્તિત્વ ઉભુ કરવામાં આવ્યુ. પ્રાચીન ગુજરાતનો ઈતિહાસ ખૂબ જ રોમાંચક છે. કહેવાય છે કે પ્રાચીન ગ્રથોમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો આ આનર્ત પુત્ર રેવત દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકાને વસાવી હતી. આ મૂળ નગરી જે કૃષ્ણએ વસાવી હતી તે તો કહેવાય છે કે સમુદ્રમાં ગરક થઈ ગઈ જેના પુરાવા જામનગર જિલ્લામાં સમયાંતરે મળતા રહે છે.
ગુજરાતના લોથલ અને રામપુર જેવા વિસ્તારોમાંથી હડપ્પીય સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે. ત્યારપછી થોડો ઘણો ઈતિહાસ મોર્યવંશમાં મળી આવ્યો. મોર્ય પછી ગુજરાત પર કેથેલિસ્ટ અને મોર્ય વંશે શાસન કર્યુ. ત્યારબદ મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકીવંશની સ્થાપના કરી. અહી ગુર્જર જાતિના લોકોનો મોટો વસવાટ હોવાથી આ ક્ષેત્ર ગુર્જરદેશ તરીકે ઓળખાતુ હતુ. આ સમય ગુજરાતનો સોનેરીકાળ હતો એવી પ્રાચીન માન્યતા છે.
World Mother's day-2020/ વિશ્વ માતૃદિન-2020
'મધર ડે'ભારતના તમામ માતાઓ માટે સમર્પિત વર્ષ એક ખાસ દિવસ છે. મે મહિના ના બીજા રવિવારે મધર ડે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષ 2020માં, તે પૂર્ણ આનંદ સાથે 12 મે (બીજા રવિવારે) પર ઉજવણી કરવામાં આવશે. માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી તેના દ્વારા આપવામાં આવેલ અમર્યાદિત પ્રેમ અને સ્નેહ માટે આભાર માનવાનું એક સાધન છે.આ દિવસે બાળકો ખૂબ ખુશ છે અને તેમની માતાને સ્કૂલ કે ધરમાં સન્માન આપવા માટે તેમને સન્માનિત કરતા હોય છે
Maa Special Mp3 Song Download/મા સ્પેશીઅલ ગીત
'મા' નો મહિમા દર્શાવતા-મા સ્પેશીઅલ Mp3 ગીત Download કરવા નીચે ક્લિક કરો.
- તુ કીતની અચ્છી હૈ -tu kitni
- તેરી ઉંગલી પકડ કે ચલા -Teri Ungli
- મા મને કોઇ દી સાંભરે - Ma Mane
- મા મુજે અપને આંચલ મે - Ma Muje
- મા ની યાદનો પ્રસંગ- Prasang
- મા પાસ બુલાતી હૈ,ઇતના રુલાતી હૈ-Maa Pass
- મા તે મા બીજા વગડાના વા - Maa te maa
- મા....તુ કહા મેરી મા- Maa tu kaha
- માડી રે...અળગા રાખીને અમને - MAdi Re/..
- મમતાનો વીરડૉ - Mamta no
- મેરી મા .તુજે સબ હૈ પતા ..Maa tuje
- યાદ કરુ છું હું તુજને માવડી-Yaad karu
- મેરી મા..તુજે -Meri maa
- મા .ઓ મા.....maa o maa
- મા તુ બતા ...maa tu bata
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ -2020 /12 Science Result-2020
ધોરણ:- 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ -2020 / 12 Science Result-2020 નું પરિણામની તારીખ 17/05/2020 ના રોજ બોર્ડનીવેબસાઈટ www.gseb.org પર સવારે 8:00 કલાકે જાહેર કરવામાં આવશે.

પરિણામ જોવા અહીં ક્લિક કરો.

21 May 2020
માર્ચ-એપ્રિલ મહિનાનું લાઇટબીલ ઓનલાઈન કેવી રીતે જોવું ?
માર્ચ-એપ્રિલ મહિનાનું લાઇટબીલ ઓનલાઈન કેવી રીતે જોવું ?
5/12/2020 01:04:00 PM
💡માર્ચ-એપ્રિલ મહિનાનું *લાઇટબીલ બની ગયું છે, જાણો તમારું બીલ કેટલું બન્યું ?🔦*
📮 *PGVCL* 📮 *UGVCL*
📮 *DGVCL* 📮 *MGVCL*
*🧧તમામ નુ લોકડાઉનના લીધે ઘરે બીલ બનાવવા નથી આવ્યા, તમે ઓનલાઇન ચેક કરી શકો છો.*⤵
🔋તમામ ના બીલ અપડેટ થઇ ગયા છે
🔋તમારા મોબાઇલમા જ તમારુ લાઇટબીલ ચેક કરી શકાશે.
5/12/2020 01:04:00 PM
💡માર્ચ-એપ્રિલ મહિનાનું *લાઇટબીલ બની ગયું છે, જાણો તમારું બીલ કેટલું બન્યું ?🔦*
📮 *PGVCL* 📮 *UGVCL*
📮 *DGVCL* 📮 *MGVCL*
*🧧તમામ નુ લોકડાઉનના લીધે ઘરે બીલ બનાવવા નથી આવ્યા, તમે ઓનલાઇન ચેક કરી શકો છો.*⤵
🔋તમામ ના બીલ અપડેટ થઇ ગયા છે
🔋તમારા મોબાઇલમા જ તમારુ લાઇટબીલ ચેક કરી શકાશે.
ચેક કરવા માટે ની લીંક
- CHECK YOUR UGVCL BILL ONLINE : Click here
- CHECK YOUR PGVCL BILL ONLINE : Click here
- CHECK YOUR DGVCL BILL ONLINE : Click here
- CHECK YOUR MGVCL BILL ONLINE : Click here
Subscribe to:
Posts (Atom)